NADIAD : ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પંચપ્રણ શપથ કાર્યક્રમ
NADIAD : 9-8-2023 WED
‘મારી માટી, મારો દેશ’ અભિયાનની આજથી શરૂઆત થઈ છે. આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'મેરી માટી-મેરા દેશ' અભિયાન અંતર્ગત નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટાઉન પી.આઈ.હરપાલસિંહ ચૌહાણની ઉપસ્થિતીમા કાર્યક્રમ યોજાયો હતો..નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત પંચપ્રણ શપથ કાર્યક્રમ યોજાયો.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
NADIAD : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
NADIAD : 9-8-2023 WED
એકલવ્ય આદિવાસી ભીલ સમાજ, ભીલ વાસ, સલુણ બજાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે આયોજિત કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી સૌ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા સંગઠન ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ, શહેર સંગઠન પ્રમુખ શ્રી તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રંજનબેન, કાઉન્સિલર શ્રી શિલ્પનભાઈ, પ્રીતિબેન, KDCA પ્રમુખ શ્રી મનીષભાઈ બોબ, સેક્રેટરી શ્રી ભાવેશભાઈ, અ.જ.જા મોરચા જિલ્લા પ્રમુખ શ્રી રાકેશભાઈ ભીલ, અ.જ.જા. શહેર પ્રમુખ શ્રી ચતુરભાઈ ભીલ, સમાજના અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
NADIAD : ખેતરમાંથી ગાંજાના લીલા છોડ પકડાયા
NADIAD : 9-8-2023 WED
નડિયાદના હાથનોલી ગામના ખેતરમાંથી પ્રતિબંધિત ગાંજાના લીલા છોડ પકડાયા
હાથનોલી ગામના ખેડૂત વજેસિંહ રાઠોડ઼ે પોતાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.
ખેડા SOG ની ટીમે બાતમીના આધારે ખેતરમાં હાથ ધરી તપાસ.
તપાસ દરમિયાન કુલ 19 લીલા ગાંજાના છોડ ખેતરમાં ઉગાડેલી હાલતમાં જોવા મળ્યા
Sog એ કુલ 19 લીલા ગાંજાના છોડ જેની કુલ કિંમત 1 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી.ગાંજાના છોડ વાવનાર ખેડુત ફરાર..
Sog પોલીસે ખેડૂત વિરુદ્ધ NDPS એક્ટ મુજબની નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાવી
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
NADIAD : વિધિ જાદવએ શહીદના પરિવારોને આર્થિક સહાય આપી
NADIAD : 8-8-2023 TUE
વતન માટે શહીદ થનાર પરિવારોને આર્થિક મદદ ઉપરાંત એક દીકરી તરીકે હૂંફ આપવાનું કાર્ય કરતી નડિયાદની વિધિ જાદવ , વિધિએ આજ સુધી કુલ ૩૫૭ શહિદના પરિવારોને આશ્વાસન પત્રો તેમજ રૂ. ૨૦,૮૨,૦૦૦ ની આર્થિક સહાય આપી, આ પ્રેરણારૂપ કામગીરી માટે વિધિને મુખ્યમંત્રી એવોર્ડ ૨૦૧૬ અને ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ ૨૦૨૧ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ સહિતના કુલ ૧૬૩ શહિદના પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી, આઝાદીના અમૃતકાળ દરમિયાન રાષ્ટ્રના વીર શહીદોને વિશેષ રીતે શ્રદ્ધાંજલી આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં ૯ થી ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ સુધીના અઠવાડિયામાં "મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન" અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના નામવાળી તખ્તી - શિલાફલકમ સ્થાપિત કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે. તથા સ્વાતંત્ર્ય સેનાની પરિવારને આમંત્રિત કરી તેમનું સ્થાનિક પરંપરા અને રીવાજો મુજબ સન્માન કરવામાં આવશે. દેશના વીરોને વંદન કરવાનું આ રાષ્ટ્રીય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદની દિકરી વિધિ જાદવનો એક વિશિષ્ટ ઉલ્લેખ કરવો રહ્યો. દેશહિત માટે બલિદાન આપનાર શહીદોના પરિવારોને આર્થિક મદદ આપવા ઉપરાંત લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને એક દીકરી તરીકે હૂંફ આપવાનું કાર્ય વિધિ કરે છે. વિધિએ આજ સુધી કુલ ૩૫૭ શહિદના પરિવારોને આશ્વાસન પત્રો તેમજ રૂ. ૨૦,૮૨,૦૦૦ ની આર્થિક સહાય આપી છે. જેમાં તેણે રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ સહિતના કુલ ૧૬૩ શહિદના પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે. "મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન" અંતર્ગત સંદેશો આપતા વિધિ જણાવે છે કે શહીદો સરહદો પર જીવના જોખમે રક્ષણ આપી પોતાની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરતા હોય છે. ત્યારે તેમનું સન્માન કરવું એ આ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના પરિવારો માટે આપણે સૌ યથાશક્તિ મદદ કરીએ તો તે સહાય પણ દેશ રક્ષણના ઉમદા કાર્યમાં એક યોગદાન જ ગણાય. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કરનાર વિધિ શહીદોને મદદ ઉપરાંત દેશ વિદેશની સંસ્થાઓ અને સરકારો સાથે પત્રવ્યવહાર કરી વૈશ્વિક શાંતિની અપીલ પણ કરે છે. વિધિને તેની પ્રેરણારૂપ કામગીરી માટે મુખ્યમંત્રી એવોર્ડ ૨૦૧૬ અને ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ ૨૦૨૧ મળેલ છે. નોંધનીય છે કે "મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન" અંતર્ગત સન્માન કરનાર વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મીઓ, રાજ્ય પોલીસ દળ, સી.આર.પી.એફ.ના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. .
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
5
views
NADIAD : ઠાસરા નગરપાલિકામાં ભાજપનો વિજય
NADIAD : 8-8-2023 TUE
ઠાસરા નગરપાલિકામાં ભાજપનો વિજય
નડિયાદ તા.૮ ખેડા જિલ્લાની ઠાસરા નગરપાલકાના વોર્ડ નં.2ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે.લઘુમતી બહુમત પ્રભાવિત વોર્ડ વિસ્તારની આ ચૂંટણી અત્યંત રસાકસીભરી યોજાઈ હતી. આજે ઠાસરા પ્રાંત કચેરીમાં મત ગણતરી યોજાઇ હતી. ભાજપના ઉમેદવારનો બે મતથી વિજય થયો હતો.આ ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસના ઉમેદવાર મોહંમદ મલેકને ૭૧૮ મત મળ્યા હતા.જ્યારે ભાજપના ઉમેદવાર પ્રગનેશ ગોહીલને ૭૨૦ મત મળ્યા હતા.આમ ભાજપના ઉમેદવારનો બે મતે વિજય થયો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ભાજપ સંગઠનની સહિયારી જીત છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રજાલક્ષી કામ કરવાની પદ્ધતિ અને પક્ષના શીર્ષષ્થ નેતૃત્વ પરના વિશ્વાસ અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારો કાર્યકરોની મહેનતને કારણે જનતાએ મુકેલા વિશ્વાસ અને આપેલા મતો થી ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.
લઘુમતી પ્રભાવિત વોર્ડ 2માં રસાકસી બાદ 2મતે વિજય
પ્રથમ વખત કોંગ્રેસે આપ્યું હતું ઉમેદવારને મેન્ડેટ
કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ મલેકને મળ્યા 718 મત
ભાજપના પ્રેગ્નેશ ગોહિલને 720 મત મળતા બે મટે વિજય
ઠાસરા પ્રાંત કચેરીમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી .
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
5
views
NADIAD : મારી માટી, મારો દેશ કાર્યક્રમ ઉજવવામાં આવશે
NADIAD : 7-8-2023 MON
મારી માટી, મારો દેશ
૦૯ ઓગસ્ટથી ખેડા જિલ્લામાં આરંભાશે ' મેરી મિટ્ટી, મેરા દેશ' અભિયાન
મારી માટે, મારો દેશ અભિયાનમાં લોકભાગીદારી અને મીડિયાના મિત્રોની ભૂમિકા મુખ્ય છે.:- કલેક્ટરશ્રી કે.એલ.બચાણી
શિલાફલકમ, પંચ પ્રણ સેલ્ફી, વસુઘા વંદન, વીરોને વંદન, મીટ્ટી યાત્રા, ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોથી ખેડા જિલ્લો દેશ ભક્તિના રંગે રંગાશે
ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે "મારી માટી, મારો દેશ' કલેક્ટર શ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. કલેક્ટર શ્રી કે. એલ. બચાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ૦૯ ઓગસ્ટથી સમગ્ર જિલ્લામાં "મારી માટી મારો દેશ" કાર્યક્રમ ઉજવવામાં આવશે. જેમાં જિલ્લાના ૫૨૨ ગામડાઓ અને ૧૦ તાલુકાઓ સહિત ૧૦ નગરપાલિકાઓ ઉત્સાહભેર ભાગ લેશે.
શ્રી બચાણીએ વધુમાં જણાવ્યું કે, ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની શરૂઆત દેશના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે કરવામાં આવી હતી. આ “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની પુર્ણાહુતી “મારી માટી મારો દેશ' કાર્યક્રમ થકી આ વર્ષે દિલ્લીમાં થશે તેમ જણાવ્યું હતું.અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ અગ્રવાલે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના અવસર પર “માતૃભુમિનાં વીરોને નમન અને માટીને વંદન “ ની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા- ૯ મી ઓગસ્ટથી "મારી માટી, મારો દેશ' અભિયાન યોજાશે. ખેડા જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. તા. ૦૯ થી ૧૧ ઓગસ્ટ દરમ્યાન તમામ ગ્રામ પંચાયતોમાં ઉજવણી થશે ઉપરાંત તા- ૧૭ થી ૧૯ ઓગસ્ટે તાલુકા કક્ષાએ અને નગરપાલિકામાં "મારી માટી , મારો દેશ' અભિયાન યોજાશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત, તાલુકા કક્ષાએ અને નગરપાલિકા વિસ્તારમાં પણ યોજાશે. જેમાં રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “ માટીને નમન વીરોને વંદન થીમ “ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૯ થી તા.૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે.શિલાફલકમ સ્થાપના આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે “મીટ્ટી ઓફ ધ મધરલેન્ડ” કાર્યક્રમ યોજાશે. જેનું આયોજન ખેડા જિલ્લા સહીત દેશની તમામ પંચાયતોમાં થશે. ખેડા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતના અને નગરપાલિકા દ્વારા અમૃતસરોવરો અથવા ગામના જળાશય કે પછી શાળા/ કોલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના નામવાળી તખ્તી - શિલાફલકમ સ્થાપિત કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મીઓ, રાજ્ય પોલીસ દળ, સી.આર.પી.એફ.ના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુથી સ્વાતંત્ર્ય સેનાની પરિવારને આમંત્રિત કરી તેમનું સ્થાનિક પરંપરા અને રીવાજો મુજબ સન્માન કરવામાં આવશે. પંચાયતમાં યોજનાર દરેક કાર્યક્રમમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે. પંચ પ્રણ કાર્યક્રમ દરમિયાન પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. આ પ્રતિજ્ઞા લેતી પોતાની સેલ્ફી આ અભિયાનની વેબસાઈટ www.yuva.gov.in/meri_maati_mera_desh પર અપલોડ કરી શકશે. જેનું ઈ- સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થશે. .
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
NADIAD : 300 લોકોના માથેથી છત છીનવાઈ
NADIAD : 8-7-2023 SAT
નડિયાદ જીઆઇડીસી પાસે રહેતા લોકો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે અરજદારની મિલકત ખોટી રીતે પડાવી લેવાનો આક્ષેપ
ભારે આક્રંદ અને રોકકળ વચ્ચે 300 લોકોના માથેથી છત છીનવાઈ,
GIDC તંત્રનુ બુલ્ડોઝર ફર્યુ અને 30 જેટલા ઘરો જમીનદોસ્ત થયા,
નડિયાદના કમળા GIDC ખાતે દબાણ દૂર કરાયા,52- 53 વર્ષથી જમીન પર કબજા ભોગવટાનો અરજદારનો દાવો
હાલ 300 જેટલા લોકો જીઆઇડીસી પાસે આવેલી જમીનમાં રહે છે
હાલ નડિયાદ સિવિલ કોર્ટમાં આ મામલે કેસ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરેલી છે
બળજબરીપૂર્વક જમીન પડાવી લેવા માંગતા વિરુદ્ધ
જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
2
views
NADIAD : નગર પાલિકાની ચૂંટણી પેહલા કોંગ્રેસને મોટો ઝટકો
NADIAD : 3-8-2023 THU
મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગેસના પ્રમુખ સહિત દોઢસો કાર્યકરો ભાજપમાં જોડાયા, નડિયાદ તા.3 દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્ર અને પ્રજાલક્ષી કામ કરવાની રિતીનીતિને વ્યાપક આવકાર મળી રહ્યો છે ત્યારે આગામી લોકસભા 2024ની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના કાર્યકરો, હોદ્દેદારોમાં પણ રાજકીય ચહલ પહલ તેજ બની છે.જેના ભાગરૂપે મહુધા તાલુકા પંચાયતના કોંગ્રેસના બે સભ્યો અને ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત દોઢસો કાર્યકરોએ ભાજપમાં જોડાઈ ભાજપનો ભગવો ખેસ પહેરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ,મહામંત્રી અપૂર્વભાઈ પટેલ,સ્થાનિક ધારાસભ્યો માતરના કલ્પેશભાઈ પરમાર અને મહુધાના ધારા સભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં કમલમ,નડિયાદ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયેલા સમારંભમાં મહુધા તાલુકા પંચાયતના સભ્ય ભરતસિંહ સોઢા અને રમેશભાઈ વસાવાએ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.ખેડા શહેર કોંગ્રેસના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ,રોહિતભાઈ પટેલ સહિત 38થી વધુ કાર્યકરોએ ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાલક્ષી અભિગમ અને મહુધાના સ્થાનિક ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ જનતાને ઉપયોગી બની રહેવાની કામ કરવાની નવતર શૈલીને લીધે કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે..
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
KHEDA : પોલીસના જવાનો દ્વારા રસ્સા ખેંચ સ્પર્ધા
KHEDA 2-8-2023 WED
પોલીસની અતિવ્યસ્ત કામગીરીની ફરજોમાં પોલીસના જવાનોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તથા શિસ્ત અને ટિમવર્કની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા સાહેબની સૂચનાથી પોલીસ હેડ ક્વાર્ટર ખેડા ખાતે ખેડા જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો વચ્ચે તારીખ 31/7/2023 ના રોજ રસ્સા ખેંચ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખેડા જિલ્લાના કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝનના પોલીસ અધિકારીઓ/ પોલીસ જવાનો વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધા કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના કુલ 24 પોલીસ અધિકારીઓ અને 122 પોલીસના પુરુષ અને મહિલા જવાનોએ ખૂબ જ આનંદ અને હર્ષલ્લાસપૂર્વક ભાગ લીધો હતો. ખેડા પોલીસ હેsક્વાર્ટર ખાતે પાયાની તાલીમ લઈ રહેલ આણંદ જીલ્લા વલસાડ જિલ્લા અને ખેડા જિલ્લાના કુલ 240 પોલીસમાં નવા ભરતી થયેલ તાલીમાર્થીઓ એ પણ રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝનની બે બે મહિલા પોલીસની ટીમ તથા બે બે પુરુષ પોલીસની ટીમો એ ખુબજ જોશ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં કપડવંજ ડિવિઝનની મહિલા પોલીસની ટીમ અને પુરુષ પોલીસ ની ટીમ ફાઇનલ મુકાબલામાં વિજેતા થઈ હતી. જ્યારે પોલીસના નવા ભરતી થયેલ તાલીમાર્થીઓ માંથી સ્કવોડ નંબર ચાર અને પાંચ ફાઈનલ મુકાબલામાં પહોંચ્યા હતા. જેમાં સ્કવોડ નંબર પાંચ વિજેતા થયેલ હતો. છેલ્લે જિલ્લા પોલીસ વડા શ્રી રાજેશ ગઢીયા સાહેબના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી..
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
NADIAD : શ્રી સંતરામ તપોવનમાં પદવીદાન સમારોહ
NADIAD : 1-8-2023 TUE
શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ ચાઈલ્ડ બ્રેઈન ડેવલોપમેન્ટ સેન્ટર (તપોવન) માં આજ રોજ 24મી batch નો પદવીદાન સમારોહ યોજાયો. તેમાં પ.પૂ મહંત શ્રી રામદાસજી મહારાજ અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ તથા ઉપસ્થિત સંતશ્રી ઓ અને મહેમાનો ના હસ્તે 110 બાળકો ને તેમના જીવન નું પ્રથમ પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યું.જેમાં પરમ પુજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજે બાળ માનસ વિકાસ ની જાગૃતિ લાવી ભાવિ પેઢી માં વક્તિત્વ નિર્માણ થાય, તેજસ્વી બને ,આદર્શ બને,પારિવારિક થી માંડી રાષ્ટ્રીય કક્ષાએ બાળકનું જીવન આદર્શ ,સંસ્કારી બને તેના વિશે આશીર્વચન પાઠવ્યા હતા. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે બાળક તેના જીવનમાં બુદ્ધિ અને મનનો સમન્વય કરી આધ્યાત્મિક ઉન્નતિ અને વિકાસ સાધી શકે તેવા શુભાષીશ પાઠવ્યા હતા .
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
2
views
NADIAD : નારાયણદેવ મંદિરમાં ગિરિરાજ અન્નકોટનું આયોજન
NADIAD : 30-7-2023 SUN
શ્રી મોટા નારાયણદેવ મંદિર ખાતે, અધિક માસની કથા, નું રસપાન કરાવતા વિક્રમભાઈ શાસ્ત્રી, નારાયણદેવ મહિલા ભજન મંડળ દ્વારા ભજન ની રમઝટ બોલાવી હતી. આજે મંદિરમાં ગિરિરાજ અન્કોટ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ દેવ ભજન મહિલા મંડળ દ્વારા આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ આ દર્શનનો લાભ લઈ એક અનેરો આનંદ માણ્યો હતો અને મંદિરમાં ચાલતી અધિક માસની કથા જે વિક્રમભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવે છે કે તારીખ 16 8 2023 ના રોજ સમાપન થશે અને આ કથામાં કથાનું રસપાન લેવા સૌભાવી ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવે છે,આજે ખાસ ગીરીરાજ અનકોટમાં પ્રભુજીને વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
1
view
NADIAD : મોહરમ પર્વ નિમિત્તે ઠેર ઠેર નીકળ્યા તાજીયા જુલુસ
NADIAD : 29-7-2023 SAT
આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈરાકના કરબલામાં હઝરત મોહંમદ સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસેન સત્ય માટે પોતાના પરિવાર સહિતના ૭૨ જેટલા જાનીસાર સાથીઓ વહોરેલી શહાદતની યાદ માં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા યવમે આશુરાના દિવસે તાજીયા અને ઝુલુસ કાઢી યા હુસેન..ને યાદ કરે છે ત્યારે નડિયાદ માં મહોરમ પર્વની ઉજવણી ના ભાગ રૂપે તાજીયા સાથે નું ઝુલુસ નીકળ્યું હતુ
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
1
view
DAKOR : 100 વર્ષ જુનુ મકાન ધરાસાઈ
DAKOR : 29-7-2023 SAT
ડાકોરમા એક 3માળનુ અંદાજે 100 વર્ષ જુનુ મકાન ધરાસાઈ
ડાકોર માં વાંટા રોડ પર એકા એક મકાન ધારાસાય
મકાન ધરાસાઈમા સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાની નહી
મકાન ધરાસાઈ થતા રોડ ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા
આ મકાન હરિભાઈ કડિયાનુ હોવાની પ્રાથમિક માહિતી
મકાન નિચે બે ટુ વ્હીલર દટાયા
વરસાદ ચાલુ હતો તે સમયે મકાન ધરાસાઈની બની ઘટના
મકાન ધરાશાયી થવાની ઘટનાના સમાચાર વાયુ વેગે પ્રસર્યા છતાં ઇન્ચાર્જ નગરપાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા નથી
હજુ આવા જર્જરિત અનેક મકાનોમાં ડાકોરમાં હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
1
view
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કેમ ફેરફાર નહીં ?
પેટ્રોલ -ડીઝલની કિંમતોમાં કેમ ફેરફાર નહીં ?
ગ્રાહકોને પેટ્રોલ- ડીઝલ માં ક્યારે ફાયદો થશે ?
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
7
views
NADIAD : શ્રી કાલિકા પુરાણ કથા તથા પુરુષોત્તમ માસની કથાનું આયોજન
NADIAD : 27-7-2023 THU
સ્વયંભૂ શ્રી ઘરડા કાલિકા માતાજીનું મંદિર મૂળ સ્થાનક કાળકાપુર કંસારા બજાર નડિયાદ આ મંદિર દંડ કથા મુજબ 500 વર્ષ જૂનું છે તેમાં બિરાજેલા માતાજી સ્વયંભૂ છે આ મંદિરમાં ચાર નવરાત્રી ઉજવાય છે તેમાં મુખ્ય આસો અને ચૈત્રી નવરાત્રી ની પૂજા અર્ચના ખાસ થાય છે અને હાલ પવિત્ર અધિક શ્રાવણ માસમાં આ મંદિરના પરિસરમાં શ્રી કાલિકા પુરાણ કથા તથા પુરુષોત્તમ માસની કથાનું આયોજન કરવામાં આવ્યું છે સમય દરરોજ રાત્રે 9:00 થી 11 કલાક રાખવામાં આવેલ છે આ કથામાં આવતા પ્રસંગો ભક્તિ ભાવથી ઉજવવામાં આવે છે આજરોજ શ્રી કાલિકા માતાજીનું પ્રાગટ્યનો પ્રસંગ ઉજવવામાં આવે છે અને કથામાં આવતા શિવ કથા સમુદ્રમંથન કાલિકા પ્રાગટ્ય શિવ વિવાહ જેવા પ્રસંગો ઉજવવામાં આવે છે દર અધિક માસમાં આવા આયોજનો કરી ભક્તોને ભક્તિરસમા તરબોળ કરી આનંદ કરી માની ભક્તિ તથા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી સૌ ભક્તો આનંદની લાગણી અનુભવે છે જય માતાજી.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
2
views
GANDHINAGAR : 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU કર્યાં
GANDHINAGAR : 27-7-2023 THU
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU થયાં. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધરૂપે એન્જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ 1360 કરોડ રૂપિયાના રોકાણો માટે 6 MoU કર્યાં.
મુખ્યંત્રીશ્રીની ઉપસ્થિતિમાં આજે થયેલા MOUની વાત કરીએ તો... એન્જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. 775 કરોડના રોકાણો માટે 3 ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા... આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-2માં ઉદ્યોગો સ્થાપશે. .. ટેક્ષટાઈલ સેક્ટરમાં રૂ. 294 કરોડના રોકાણો માટે એક MOU કરવામાં આવ્યું જ્યારે... ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં બે ઉદ્યોગો રુ. 290 કરોડનું રોકાણ કરશે... આ ઉદ્યોગો સ્થપાતાં 3 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. આમ, વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રસંશા
- ઉદ્યોગકારોએ કરી મુખ્યમંત્રીશ્રીની પ્રશંસા
- ગુજરાત સરકાર અને ઉદ્યોગ ગૃહ વચ્ચે થયાં MOU
- મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રુ. 1360 કરોડ રોકાણો માટે MoU
- એન્જીનિયરીંગ-ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓએ સાથે MOU
- 3 હજારથી વધુ લોકોના રોજગારીની તકો
- વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં યોજાશે
- વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે પ્લેટફોર્મ બની
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
9
views
KUTCH : વિશ્વ ચેર સંરક્ષણ દિવસ
KUTCH : 26-7-2023 WED
વૈશ્વિકકક્ષાએ 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેરના જંગલોનું સંરક્ષણ અને લોકોમાં ચેરના પર્યાવરણીય મહત્વ પ્રત્યે જાગૃતતા આવે એ ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ચેરના વિસ્તાર બાબતે બીજા નંબરનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં ચેરના જંગલો 1175 ચો.કિ.મી. વિસ્તારમાં ફેલાયેલા છે, જેનો 68 ટકા વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલ છે. ચેરના વૃક્ષો વાવાઝોડા, દરિયાઈ તોફાનો સામે કુદરતી કવચ તો બને જ છે સાથે જ ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકાવે છે.
- 26 જુલાઈ - વિશ્વ ચેર સંરક્ષણ દિવસ
- ગુજરાત રાજ્યમાં ચેરના જંગલો 1175 ચો.કિ.મી. વિસ્તારમાં છે ફેલાયેલા
- ચેરના જંગલોના પ્રમાણમાં દેશમાં કચ્છ બીજા નંબરનું સ્થાન
- કચ્છ જિલ્લો ગુજરાતમાં ચેરના જંગલોના વિસ્તારમાં અગ્રેસર
- ગુજરાતના કુલ ચેરના જંગલના વિસ્તાર 68 ટકા કચ્છ જિલ્લામાં
- ચેરના વૃક્ષોનો 798 ચો. કિ.મી. વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો
- વાવાઝોડા, દરિયાઈ તોફાનો સામે ચેરના વૃક્ષો કુદરતી કવચ
- ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકાવી, જમીન અને દરિયા વચ્ચે બફર ઝોન
- તાજેતરમાં જ વડાપ્રધાનશ્રી MISHTI પ્રોજેક્ટની કરાવી છે શરુઆત
- MISHTI પ્રોજેક્ટનો ઉદેશ્ય ચેરના વાવેતર સાથે જૈવ વિવિધતાના સંવર્ધનનો.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
10
views
SAURASHTRA : નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ
SAURASHTRA : 26-7-2023 WED
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી જૂલાઈના રોજ સૌરાષ્ટ્રવાસીઓને આપશે મહત્વની ભેટ... પ્રધાનમંત્રીશ્રી અંદાજિત રૂપિયા 393.67 કરોડના ખર્ચે તૈયાર થયેલ ‘‘સૌની’’ યોજનાના લીંક 3ના પેકેજ-8 અને 9નું લોકાર્પણ કરશે.. જેના થકી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને સિંચાઈ માટે પાણી મળશે તથા અંદાજિત 1 લાખ લોકોને માં નર્મદાના પાણી પીવાનો લાભ મળશે.
સૌરાષ્ટ્રની સૂકી ધરાને પાણીદાર બનાવવા માટે ‘‘સૌની’’ યોજના શરુ કરવામાં આવી હતી.આ યોજના તબક્કાવાર કાર્યરત કરાઈ છે... જે અંતર્ગત પેકેજ-5 ની મુખ્ય પાઇપ લાઇન ગુંદાસરા ગામથી ભાદર-1 ડેમ સુધી જોડવામાં આવી છે. જેનાથી 42,380 એકર વિસ્તારને સિંચાઈનો સીધો લાભ મળશે અને 57 ગામોના 75 હજારથી વધુ લોકોની પીવાનું પાણી મળશે.... જ્યારે પેકેજ-9 અંતર્ગત 38 ગામોના 23 હજારથી વધુ લોકોને ફાયદો થશે તથા 10,018 એકર જમીનને સિંચાઇની સુવિધાઓ મળશે. આમ, ‘‘સૌની’’ યોજના થકી માં નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ રહી છે અને સૌરાષ્ટ્રના ધરતીપુત્રો ત્રણ ઋતુનો સિઝન લેતા થયા છે..
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
2
views
RAJKOT : PM હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે
RAJKOT : 25-7-2023 TUE
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 27 જૂલાઈના રોજ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે... હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ‘‘રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે... આથી હવેથી આ એરપોર્ટ ‘’રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ’’ તરીકે ઓળખાશે... હિરાસર એરપોર્ટ ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.. એરપોર્ટ ખાતે ઉભા કરાયેલા કલાત્મક ટર્મિનલ બિલ્ડીંગ ખાતે એરાઇવલ અને ડીપાર્ચર સહિતની જગ્યાઓને સાઈનેજીસથી સજ્જ કરી દેવામાં આવી છે યટર્મિનલમાં સિક્યોરિટી બેરીયર અને ટ્રોલીની સુવિધાઓ ઉપરાંત, વિવિધ ઓફિસો સાધનોથી સજ્જ છે..
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
4
views
MAHARASHTRA : કસારા ઘાટ ભારે વરસાદના કારણે બંધ
MAHARASHTRA : 25-7-2023 TUE
અત્યારે વરસાદી માહોલ છે અને એમા પણ ખાસ કરીને લોકો મોસમને માણવા માટે અને કુદરતી નજારો માણવા મુસાફરીએ જતા હોય છે. ત્યારે મહારાષ્ટ્ર થી એક મહત્વ પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈથી નાસીક તરફ કે નાસીક થી મુંબઈ તરફ જતા મુસાફરો ને ખાસ સુચન કરવામાં આવ્યુ છે કે પોતાની મુસાફરીને ટાળે. વાહનો પણ રસ્તા ઉપર ફસાઈ ગયા છે ત્યારે વધુ જોખમ ન સર્જાય તે માટે સાવચેતી રાખી મુસાફરી ટાળવા અનુરોધ કરાયો છે.કસારા ઘાટ ભારે વરસાદના કારણે બંધ કરાયો છે. આ વિડિયો ફુટેજમાં તમે જોઈ શકો છો કે વરસાદી પાણીને લિધે રસ્તાએ કેટલુ ભયાનક સ્વરુપ ધારણ કર્યુ છે.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
10
views
NADIAD : વિદેશી દારૂ સહિત ₹ 25.78 લાખનો મુદ્દામાલ જપ્ત
NADIAD : 24-7-2023 MON
પોલીસને થાપ આપી ચાલક ફરાર થયો
માતરના સંધાણા ગામના બ્રીજ પરથી પોલીસે પીછો કરેલ બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા 15.78 લાખનો ઈંગ્લીશ દારૂ મળ્યો, વાહન ચાલકે ડભાણ ચોકડીએથી નાકાબંધી તોડતા પોલીસે પીછો કર્યો
ખેડા જિલ્લામાં દારૂની બદીઓ વ્યાપક પ્રમાણમાં ફુલી ફાલી છે. ત્યારે માતરના સંધાણા ગામના હાઈવે પરથી પોલીસે પીછો કરેલ વાહનમાંથી જંગી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા 15.78 લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવમાં ચાલક પોલીસને થાપ આપી ભાગવામાં સફળ થયો છે. મહત્વનું છે કે, 9 કીમી દુર ડભાણ ચોકડીએ નાકાબંધી તોડી ફરાર થયેલો આ ચાલક સંધાણા ગામ પાસે વાહન મુકી પલાયન થવામાં સફળતા મળી છે. પોલીસે દારૂનો જથ્થો સાથે વાહન મળી કુલ રૂપિયા 25.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગતરાત્રે ડભાણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે, આણંદ તરફથી કોઈ વાહન દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ભરી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસના માણસો અહીંયા વોચમા ઊભા હતા. આ દરમિયાન વર્ણન વાળુ વાહન આવતાં પોલીસે આ બંધ બોડીની ગાડીને અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી નંબર (HR 55 AK 8479)ના ચાલકે આ પોલીસની નાકાબંધી તોડી ભાગ્યો હતો.આથી ત્યાં હાજર પોલીસે આ વાહનનો પીછો કર્યો હતો અને લગભગ 9 કીમી દુર સંધાણા ગામ પાસેના ઓવરબ્રિજ પરથી આ વાહનને ઝડપી લેવામાં આવી હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ વાહન ચાલક ત્યાંથી ભાગવામાં સફળ થઈ ગયો હતો. પહોચેલી પોલીસે વાહનની તપાસ આદરતા SML બંધ બોડીની ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ 6024 નંગ જેની કિંમત રૂપિયા 15 લાખ 78 હજાર તેમજ ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા 25 લાખ 78 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ચાલક સામે માતર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
5
views
NADIAD : મણિપુર ઘટના ને લઈ ક્રિશ્ચિયન સમાજના લોકોની રેલી
NADIAD : 24-7-2023 MON
મણીપુર ની અંદર બે મહિલાઓને ની વસ્ત્ર કરીને નગ્ન અવસ્થામાં જે પરેડ કરવામાં આવેલી અને તેમની સાથે ગેંગરેપ કરવામાં આવેલો તથા અમાન્વીય વર્તન કરવામાં આવેલું જે ઘટનાથી આખા દેશના તમામ લોકોનું માથું શરમથી ઝૂકી ગયેલું આમ આવી ઘટનાઓ ફરી ના બને તે બાબતના કડક માં કડક કાયદા બનાવવા માટે આજરોજ ગુજરાતમાં ઠેર ઠેરિશિયલ સમાજ દ્વારા મૌન રેલી કાઢીને કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું હોય ત્યારે આજ રોજ નડિયાદ ખાતે પણ મોટી સંખ્યામાં ક્રિશ્ચિયન સમાજના લોકોએ ભેગા થઈને તેમના સમાજના આગેવાનો ધર્મગુરુઓ સાથે મૌન રેલી કાઢી અને ખેડા જિલ્લાના કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
3
views
NADIAD : માતા બને શિક્ષિકા કાર્યક્રમનું આયોજન
NADIAD : 22-7-2023 SAT
શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર માં માતા બને શિક્ષિકા આ કાર્યક્રમમાં પ્રમુખ ડોક્ટર કે ડી જેસવાણી અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું બાળકોને હિન્દુ ધર્મ વિશે જાગૃત કરવા તથા માતા પિતાએ ભણતરની સાથે સાથે હિન્દુ ધર્મના ગ્રંથો પુરાણો તે બાળકોને સમજાવવા સાથે બાળકમાં પાડવામાં આવતી સારી ટેવો કે સ્વચ્છતા અને આહાર નું પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો હાજર રહીને જોડાયા હતા અને વાલી મિત્રોએ પણ આ કાર્યક્રમમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
58
views
NADIAD : દેવી દેવતાઓની ટાઈલ્સો બાબતે આવેદનપત્ર
NADIAD : 22-7-2023 SAT
મહાગુજરાત હોસ્પિટલ પોસ્ટ ઓફિસ સરદાર ભવન દરેક જગ્યાએ આવી રીતે ભગવાનની દેવી દેવતાઓની ટાઈલ્સો લગાવેલી જોવા મળે છે અને એ ટાઇલ્સ ઉપર થૂંકવામાં આવે છે.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
20
views
NADIAD : ₹ 68.98 લાખના ખર્ચે 4 સીસી રસ્તાઓનું ખાતમૂહુર્ત
NADIAD : 22-7-2023 SAT
જે નડિયાદમાં ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા વિવિધ રસ્તાઓનું ખાતમૂહુર્ત કરાયું હતુ. નડિયાદ નગરપાલિકાની 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી કુલ રુ. 68,98,430ના ખર્ચે નિર્માણ થનાર 4 સીસી રોડના કામનું નટપુર બેંક પાસે, ભાવસાર વાડ ખાતે કરાયું છે.નડિયાદ શહેરમાં પેરેડાઈઝઓરા ફ્લેટ તરફ જતો રસ્તો, દેસાઈ ભુવન પાસે રબારીવાસ, મિલ રોડનો રસ્તો, નટપુર બેંકથી વિજય રાવની ઓફિસ સુધીનો રસ્તો, GIDC વિસ્તારમાં સ્મશાન તરફ જતાં રસ્તાઓ બનાવવા માટે ખાતમૂહુર્ત કરાયું છે. જેથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.આ ખાતમુહૂર્ત નિમિતે નગરપાલિકા પ્રમુખ રંજનબેન, ઉપપ્રમુખ કિંતુભાઈ, કાઉન્સિલર પરીનભાઈ, પ્રીતિબેન, રીમાબેન, કિન્નરીબેન, ભાવેશભાઈ ભાઇજી, બકુલભાઈ, સંજયભાઈ કાલી, શિલ્પનભાઈ, અગ્રણી ચંદ્રકાંતભાઈ, દિનશાભાઈ, દિનકરભાઈ, રાજુભાઈ, શ્યામભાઈ, વિસ્તારમાં વહેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
#nadiadnews #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #nadiadnew
28
views